Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં આયોજકોએ રાજમાહી સ્મૃતિ કાર્યક્રમની આપી રૂપરેખા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કલા જગતમાં ઉભરતાં સિતારા તરીકે જાણીતા બનીને અચાનક વિદાય પામેલ ગીત કલાકાર સ્વ.રાજમાહીની પ્રથમ પુણ્યતિથિએ સંગીત સંધ્યા દ્વારા અંજલિ આપવામાં આવશે.

‘અબતક’ની મુલાકાતમાં રાજમાહી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ રાજગોર, મુકેશભાઇ માહી, નીતીનભાઇ પારધી અને રાહુલ ચૌહાણે જણાવેલ કે સ્વ.રાજમાહીની યાદમાં રાજમાહી માનવ સેવા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે અને તેના દ્વારા સેવાભાવિ પ્રવૃત્તિઓ થાય છે. 24મી તારીખે સ્વ.રાજમાહીની પ્રથમ પુણ્યતિથિએ રાજની સ્મૃતિમાં બનાવેલ ગીતનું પ્રેન્ઝન્ટેશન થશે. કાલે 24મી શનિવારે બપોરે 3.00 વાગ્યે અરવિંદ મણિયાર હોલ, જ્યુબેલી ખાતે સંગીત અને ગીતના પ્રેન્ઝેન્ટેશનના કાર્યક્રમમાં બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, સુરેશભાઇ મારૂ, મનસુરભાઇ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.