Abtak Media Google News

રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ; ૨૦૦થી વધુ લગ્નોત્સુકો ભાગ લેશે: આગામી સમયમાં બટુકોને યજ્ઞોપવિત અને દિકરીઓનો સમુહ લગ્નોત્સવ યોજાશે; આગેવાનો નઅબતકથના આંગણે

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા આગામી તા.૨૮ ને રવિવારના રોજ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે સવારે ૮ થી૧ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમા આશરે ૨૦૦થી વધુ લગ્નોત્સુકો જોડાશે. વધુ વિગતો મેળવવા અગ્રણીઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ ઉપરાંત અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા એકસો એક બટુકોને યજ્ઞો પવિત અને ૫૧ દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે. આ મોંઘવારીના યુગમાં ટોકન દરે આવતા મહિને તારીખ તથા સ્થળની હવે પછી જાહેરાત કરાવામાં આવશે. વિદ્યાર્થી પારીતોસીક સન્માન સમારોહ જરૂરીયાત મંદ બહેનોને સીવવાના સંચાનું વિતરણ સીન્યરસીટીઝન કલબ તથા યુવા મહિલા પાર્કની સ્થાપના મેમ્બરશીપનું પણ આયોજન કરેલ છે.

દર મહિને પહેલા શનિવારે મહિલાઓનીમીટીંગ કરવામાં આવશે. જુદા જુદાકાર્યક્રમોની હારમાળા તથા ગણપતિ ઉત્સવ નવરાત્રીઉત્સવ વગેરે કાર્યક્રમઅખીલ ભારતીય બ્રાહ્મણ સમિતિનાં પ્રેરણા દાતા તથા સંકલ્પનિષ્ઠ અધ્યક્ષ સમસ્ત બ્રહ્મ સમાજ કનવીનર ભારતીય જનતા પક્ષ મહિલા મોરચાના ખજાનચી માધવીબેન ઉપાધ્યાય તથા શિતલબેન ત્રીવેદીના અધ્યક્ષ સ્થાને યોજાશે આગામી તા.૨૮ ના રોજ યોજાનાર જીવનસાથી સંમેલનની વિગત માટે જે.ડી. ઉપાધ્યાં મો. ૯૮૨૪૯ ૧૩૧૮૬,અનિલભાઈ ત્રીવેદી મો. ૯૨૨૮૮ ૪૪૪૮૨, ડો. પુલકીત બક્ષી મો. ૯૪૨૮૧ ૮૮૬૦૪, શિતલબેન ત્રીવેદી મો. ૮૯૫૯૦ ૦૦૭૮૬નો કોન્ટેકટ કરવો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિતલબેન ત્રિવેદી, કિરણબેન ત્રિવેદી, સુમનબેન ભટ્ટ, જનકબેન ભટ્ટ, એકતાબેન બક્ષી, અલ્કાબેન ઉપાધ્યાય, જયશ્રીબેન ક્ષેત્રીય, પુજાબેન ત્રિવેદી અને પૂર્ણાબેન ત્રિવેદીએ નઅબતકથની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.