Abtak Media Google News

પવિત્ર શ્રાવણ માસનો મહીનો છે. ત્યારે ઘણા ગુજરાતી ગાયકો ભકિત ગીતો અને ભજનોનું અનોખુ સંસ્કરણ લઇને આવતા હોય છે. અગાઉ ગીતાબેન રબારી, નિવર બારોટ, ભોળ્યા ભગવાન શિવજી ના ટ્રેકસ સાથે જાહેરાત કરી હતી. ત્યારે હવે જો વાત કરીએ તો આપણા સૌના મનપસંદ અને વચ્સટાઇલ ગાયક એવા ઓસમાણ મીરે તેમના આવનારા નવા ગીતની પોસ્ટ તેમના ઓફીશ્યલ ઇન્સ્ટ્રગ્રામ પર શેરી કરી હતી.

Advertisement

તેમણે તેમના આગામી સિંગલ ‘ચંદ્રશેખર’ ની જાહેરાત કરીને તેમના ચાહકોની રુચીમાં વધારો કર્યો, જો કે સોશ્યલ મીડીયા સાઇટસ પર આ ગીત હજુ રીલીઝ થવાનું નકકી નહોતું થયું પણ પોસ્ટર રીલીઝ થતા જ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યાં છે. અને એમ કહી શકાય કે લોકો ‘સોન્ગ લોન્ચ’ ડેટ ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તો લોકો આજના દિવસે ખાસ તો જ લોકો આ ગીત ની રાહ જોઇ રહ્યા હતા તે લોકો માટે સરપ્રાઇઝ સોન્ગ  લોન્ચ આજે સવારે જ કરવામાં આવ્યું છે.

ત્યારે બસ સોન્ગ લોન્ચના એક કલાકની અંદર જ લોકોએ આ ગીતને જબ્બર પ્રતિસાદ આપ્યો છે. ઓસમાણ મીરને તો આજની પેઢીનું યુવાધન ખુબ પસંદ કરે છે. તેઓ તેમના ગરબા ટ્રેકસ માટે તો વિશ્ર્વ વિખ્યાત છે. ઓસમાણ મીરના ઘણા વિશ્ર્વ સ્તર પર લોકપ્રિય ગીતો છે. જેમ કે ‘મોર બની થન ઘાટ કરે’, ‘કાળજી નો કટકો’  ‘હૈ જિંદગી’, ‘બે ર્દદી તેરે પ્યારનો’, મોજમાં રેવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.