Abtak Media Google News

કોંગી કોર્પોરેટર વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજા કોંગી અગ્રણી ગોપાલભાઈ અનડકટ અને ગાયક સુરેશભાઈ રાવળ ‘અબતક’ની મુલાકાતે

ગરીબ દર્દીઓ તા ગાયોના ઘાસચારાના લાર્ભો શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રાત્રે આનંદ કોલોનીની બાજુમાં આવેલા પારડી રોડ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા કોંગી કોર્પોરેટર વિજયભાઈ વાંક, ઘનશ્યામસિંહ જાડેજા, કોંગી અગ્રણી ગોપાલભાઈ અનડકટ અને સુરેશભાઈ રાવળએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ લોકડાયરામાં મુખ્ય કલાકાર કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સુરેશભાઈ રાવળ, ઉર્વશીબેન રાદડીયા, બલરાજ ગઢવી, ભરતભાઈ ગઢવી અને હાજી રમકડુ રહેશે. રાત્રે ૯:૦૦ કલાકે ડાયરાનો પ્રારંભ શે. જેના આયોજન માટે ગોપાલભાઈ અનડકટ, રાજુભાઈ સરવૈયા, ઈન્દુભા રાઓલ અને વિજયસિંહ વાળા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.