Abtak Media Google News

સુરતમાં મૃત્યુ પામેલા છાત્રોને શ્રધ્ધાંજલી આપવામાં આવી

રાજકોટ લોકસભા ૧૦ના સાંસદ તરીકે બીજીવાર જંગી બહુમતીથી ચૂંટાયેલા મોહનભાઈ કુંડારીયાનો સન્માન કાર્યક્રમ લોધીકા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજવામા આવેલ અને લોધીકા તાલુકામાં ભારતી જનતાપાર્ટીને મળતા તાલુકાના તમામ કાર્યકરો સરપંચ તેમજ મતદારોનો સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ દીલથી આભાર વ્યકત કરેલ.ગામડાના વિકાસ ખેડુતોના પ્રશ્ર્નો સિંચાઈ ગામડામાં રોડ રસ્તા પીવાના પાણીની વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવશે અને શહેરમાં જે રેલવે ફાટકો છે તેને દૂર કરી ટ્રાફીક સમસ્યા હળવી બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. તેવું જણાવેલ.

આ કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ રા.લો. સંઘના વા. ચેરમેન મનસુખભાઈ સરધારાએ કરેલા આ તેક પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ જાડેજા ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર માજી તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી તાલુકા પંચાયત સદસ્ય પદુભા જાડેજા ભીખુભાઈ ડાંગર મુકેશભાઈ કમાણી રસીકભાઈ પટેલ સરપંચ જાડેજા, મિલનભાઈ કથીરીયા, સંજયભાઈ અમરેલીયા વીરભાનુ મૈયા, કુંગશીયા દિનેશભાઈ મૈત્રા, દિલીપભાઈ કુંગશીયા, છગનભાઈ મોરડ, હરભમભાઈ કુંગશીયા, યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ, અશોકસિંહ ખેરડીયા, રમેશભાઈ રાઠોડ, માર્કે:ટીયગયાર્ડના ડિરેકટર પ્રવિણસિંહ જાડેજા, ડી.કો.બેંકના ડિરેકટર બકુલસિંહ જાડેજા, જીલ્લા ભાજપના મોહનભાઈ, જેન્તીભા, સરપંચ લોધીકા કિશોરભાઈ તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઈ, યુવા ભાજપના રાહુલકુમાર જાડેજા તાલુકા ભાજપ મહામંત્રી લાખાભાઈ ચોવટીયા, પ્રવિણસિંહ ખેરડીયા ભીખુભા જાડેજા ,દિનેશભાઈ બગથરીયા ચાંદલી સરપંચ મોટાવડા, આગેવાન વેલુભા જાડેજા રાતૈયા સરપંચ મહાવીસિંહ જાડેજા નગરપીપળીયા સરપંચ વાગુદડના સરપંચ મુકેશભાઈ વિરડા તેમજ તમામ નામી અનામી ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેલ કાર્યક્રમની શારૂઅતમાં સુરતમાં બનેલી દુર્ઘટનામાં અવસાન પામેલા વિદ્યાર્થીઓને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ ત્યારબાદ સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.