Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર જીલ્લાના કાલાવડ કાલાવડ તાલુકામાં અપહરણની ઘટના સામે આવી છે જેમાં દલિત જ્ઞાતિની સગીરાનું એક શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા પુખ્ત વયની થઈ ન હોવાથી સગીરા અને અપહરણ કરનાર બન્ને એ ઝેરી દવા પી લેતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે સગીરાના પિતા દ્વારા પોતાની પુત્રીનું અપહરણ કરી જનાર શખ્સ સામે એસ્ટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના કાલાવડની છે જ્યાં કુંભનાથ વિસ્તારમાં રહેતા અયાન ઈકબાલભાઈ પંજા નામના શખ્સે ગઈકાલે કાલાવડની સગીરાનુ અપહરણ કર્યું હતું, અને સગીરા કે જેની ઉંમર ૧૭ વર્ષની હોવાથી બંને રણુજા પહોંચ્યા હતા અને બન્નેએ ઝેરી દવા પી લેતાં બંનેને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં બંનેની સઘન સારવાર ચાલી રહી છે.

આ ઘટના બાદ સગીરાના પિતા દ્વારા કાલાવડ પોલીસ મથકમાં પોતાની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિના છે તેવું જાણતા હોવા છતાં પણ સગીરાના પરિવારને હડધુત કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ તેમજ એસ્ટ્રોસિટી તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ નોંધ્યો ગુન્હો નોંધીને એસટીએસસી સેલના ડીવાયએસપી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલમાં આરોપી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેના પર પોલીસ વોચ ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.