Abtak Media Google News

રાજકોટમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા આજીડેમ પોલીસ ચોકી પાસે ની ઝુપડપટ્ટી માં પોતાના ફ્રી એજ્યુકેશન ક્લાસ ની શરૂવાત કરવામાં આવી છે.

મેંગોપીપલ પરીવાર દ્વારા પોતાના સત્કર્મો માં સતત વધારો કરતા ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો ને જ્ઞાન અને સંસ્કાર નું સિંચન કરતા ફ્રી એજ્યુકેશન ક્લાસ કોઠારીયા રોડ, રણુજા મંદિર ની સામે શરૂ કરેલ છે.

જે બાળકો શાળા એ પણ નથી જતા તેવી ઝુપડપટ્ટી માં જઈ ત્યાં ના બાળકો ને પ્રાર્થના, જ્ઞાન સાથે ગમ્મત, અક્ષરજ્ઞાન, સ્વછતાં ના પાઠ, ઉપરાંત સમયાંતરે એજ્યુકેશન કીટ અને  સ્વચ્છતા કીટ મેંગોપીપલ પરીવાર દ્વારા બાળકો ને અપાય છે. જેમાં  અનુદાન આપી સેવાયજ્ઞ માં સહભાગી થવા માટે સંસ્થા પ્રમુખ  મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦ ૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.