Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ઇ. સ. 2025 માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 1925 માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10 થી 15 બાલ તરુણોથી પ્રારંભ થયેલ સંઘની શાખા આજે દેશના નગરીય ક્ષેત્રોમાં વસ્તી સુધી અને ગ્રામીણ સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલીરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટવૃક્ષ બની તેનો શતાબ્દી વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે કાર્ય વિસ્તારના ભાગરૂપે કચ્છના સ્વયંસેવકોએ નિર્ધાર કર્યો કે ગામડે ગામડે સંઘની શાખાના સ્વરૂપમાં પહોંચવાનો અને સામૂહિક શક્તિના એકત્રીકરણનો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ પૂર્વ ભૂજમાં 10 હજાર પૂર્ણ ગણવેશધારી સ્વયં સેવકોનો મેળાવડો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગ કાર્યવાહ  રવજીભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર આ માટે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના કુલ મળીને 1600 કાર્યકર્તાઓ 30 તાલુકા-નગર સુધી ચાર માસથી સતત પ્રવાસ કરી કુલ 610 ગામ સુધી પહોંચ્યા. 110 મંડળ અને 200 ઉપ વસ્તી સુધી પ્રવાસ કર્યો અને 400 આયોજન બેઠક કરી 20,000 સુધી સુધી સંપર્ક એમાંથી 15 હજારનો રજીસ્ટ્રેશન થયું. 10,000 પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહેશે.

આ પ્રસગે અતિથિ વીશેષ તરીકે ઉપસ્થિત રહેલા રવિભાણ આશ્રમના  પૂ. ત્રિકાલદાસજી  એ સંઘના રાષ્ટ્ર ઉત્થાનના કાર્યમાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરી  91 વર્ષના સ્વયંસેવકની ઉપસ્થિતિ પ્રેરણાદાયી ગણાવી હતી. સ્વયંસેવક વ્યસનમુકત હોય એ અપેક્ષીત.બીજુ દિવાળીના ત્યૌહારોમાં ખરીદી આપણા દેશમા બનેલી વસ્તુની જ કરીએ. ઘી-તેલના દીવાઓ પ્રગટાવીએ. આવી નાની બાબતો જ આપણને રાષ્ટ્રભકત બનાવશે. દેશ માટે આવુ કાર્ય એ જ સાચી રાષ્ટ્રભક્તિ .સંતોએ પણ આ જ દિશા બતાવી.આ પ્રસંગે સ્વયંસેવકોને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહસર કાર્યવાહ  અરુણકુમારજીએ જણાવ્યું હતું કે કચ્છનો વ્યકિત ઉદ્યમી, સામાજિક કાર્યમાં સહયોગ, સંઘ પ્રત્યે વિશેષ અનુરાગ આ કચ્છી સમાજના ગુણો છે.

ભારતની 75 વર્ષની યાત્રા અને સંઘ શતાબ્દી વર્ષ સૌભાગ્યથી એક સાથે ઉજવાઇ રહ્યા છે. ભારત આજે વિશ્વની પાંચમાં નંબરની મોટી અર્થવ્યવસ્થા છે. આપણી આત્મગૌરવ યુકત વિદેશીનિતિએ જી-20 માં બધા દેશોને સહમત કરી પ્રસ્તાવ પારિત કર્યા. ભારતની વિભાવના વસુધૈવ કુટુમ્બકમ અને સર્વે ભવન્તુ સખીન: ના મંત્રને સાર્થક કરતા ઉદાહરણ સ્વરૂપે કપરા સમયે વિવિધ દેશોને વેકશીન થી લઇ અન્ન અને મેડીકલ સહાય. 75 વર્ષમા એક સામાજિક ક્રાંતિ ભારતીયોએ સર્જી છે, પછી એ આર્થિક, રમત-ગમત કે સામાજ જીવનનું કોઇ પણ ક્ષેત્ર હોય. ગુલામીના તમામ ચિન્હ મીટાવી આત્મગૌરવ થી દેશ ઉભો થયો છે. સંઘની ચાર પેઢીની યાત્રા છે જેમાં પ્રથમ પેઢીએ બીજ વાવ્યુ છે,

બીજી પેઢીએ કાર્ય વિસ્તાર કર્યો છે, ત્રીજી પેઢીએ સામાજિક ક્ષેત્રે કાર્ય કર્યું અને ચોથી પેઢીએ એટલેકે વર્તમાન પેઢીએ સમાજની સજજન શક્તિને જોડી છે, આવનારી પેઢીએ સમાજ અને સંઘ એકરુપ થાય તેના પર કાર્ય કરવાનું છે. સમાજ સંઘ સાથે મળી કાર્ય કરવા માગે છે, એટલે જ સંઘ સમાજના કેન્દ્રમાં છે, અને આ ભારતીય  સમાજ વિશ્વના કેન્દ્રમા છે. આથી જ વિશ્વમા તુટતા સમાજ, પર્યાવરણ, અરાજકતા,યુદ્ધના માહોલમા શાંતિ અને કલ્યાણ માટે વિશ્ર્વ ભારત તરફ જોઇ રહ્યુ છે. આવનારા પચ્ચિસ વર્ષમાં આજની આ પાંચમી પેઢીએ ’સ્વ’ તરફ અમૃતકાળમાં યાત્રા કરવી પડશે. ત્યારે જ ભારતનો સુર્ય વિશ્ર્વમાં દૈદિપ્યમાન થશે.હર ગાંવ હર ગલી હર ખુણામાં સંઘ કાર્ય લઇ જવુ પડશે. અંતે તેમણે સ્વયંસેવકોને દરેક ગામમા પ્રભાવી સંઘકાર્ય ખડુ કરવાનો દ્રઢ સંકલ્પ લેવાનો આહવાહન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.