મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે મહાવીર જયંતિના દિવ્ય અવસરે આજે સ્વપ્ન દર્શન નૃત્યનાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગલીક બાદ ગૌતમ પ્રસાદ તથા અનુમોદનનો લાભ માતૃશ્રી મુકતાબેન શાંતિલાલ મહેતા પરીવારે લીધો હતો.આ દિવ્ય અવસરે મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે વિશ્ર્વને અહિંસા પ્રધાન જૈન ધર્મનો દિવ્ય સંદેશ આપનાર જૈનોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય એવો આ જૈન ધર્મ એના ભાગ્યના વિધાતા ભગવાન મહાવીર સ્વામીની આજે ર૪માં તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો દિવ્ય અવસરે ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પુજય રતીલાલજી મહારાજ સાહેબ એવમ પુજય મુકતલીલમ સંમતિગુરુણીના શિષ્યા સરળ સ્વભાવી પુજય મિનળબાઇ મહાસતીજી આ ચાતુર્માસના અવસરે જૈન સંઘમાં આજે ત્રિશલા માતાને જે ૧૪ સ્વપ્નો આવેલા એવું આબેહુબ વર્પન અમારા પુજય મહાસતીજી મીનળબભાઇ સ્વામીએ એની પોતાની લાક્ષણિક શૈલીમાં અમારા સૌ જીજ્ઞાશુ, શ્રાવક ભાઇ-બહેનોને સમજાવ્યું અતે જો આ નૃત્યનાટિકાના સ્વરુપમાં પણ અમારા સંઘની બાલિકાઓએ પણ પોતાનું નૃત્ય નાટિકા રજુ કયુ અને જૈન ધર્મ ના શ્રાવક-શ્રાવકીએ આ કાર્યક્રમને ખુબ માણ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ