Abtak Media Google News

નવ વિવાહિત કપલ્સ જયારે લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે તેમની એ જ ઇચ્છા હોય છે કે, તેમની પ્રેમ ભરેલી પળો પ્રેમના બંધનમાં હંમેશા જળવાઈ રહે. આમ, જો તમે તમારી આખી જીંદગીને યાદગાર બનાવવાનુ વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે.

બેડરૂમને કંઇક એવી રીતે ડેકોરેટ કરો કે, જેને જોઈને તમારા પાર્ટનર ખુશખુશાલ થઇ જાય.

લાલ રંગને નવયુગલ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આ રંગ ઉત્તેજનાને વધારે છે તેમજ સબંધમાં મજબૂતી પણ લાવે છે.

તમારા બેડરૂમમાં તમે કંઇક અલગ કરવા ઇચ્છતા હોવ તો હાર્ટ શેપના બલૂન પણ લગાવી શકો છો. તેમજ આજકાલ બજારમાં બહુ જ સુંદર મીણબત્તીઓ મળે છે જેનાથી તમે તમારો બેડરૂમ સજાવી શકો છો.

ફર્સ્ટ નાઇટમાં ગુલાબી રંગનું પણ ઘણું જ મહત્વ હોય છે. આ રંગ નવવિવાહીત યુગલ માટે ગાઢ સંબંધ, પ્રેમ અને વિશ્વાસને વધારે છે. પોતાના સુહાગની સેજને ગુલાબી રંગથી સજાવશો તો સબંધ મજબૂત તેમજ મહેકતો રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.