રાજકોટ જિલ્લામાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત રાજકોટ ના પડધરી તાલૂકા ના સરપદડ ખાતે ઉર્જા મંત્રી દીલીપ કૂમાર ઠાકોર ના હસ્તે રૂ. ૬.૫૯ કરોડ ઉપરાંતના ખર્ચે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે મંત્રી દીલીપ કૂમાર ઠાકોર જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં ૨૪ કલાક વીજળી પહોંચડવાના ધ્યેય સાથે જ્યોતિગ્રામ યોજના થકી ગામડે ગામડે વીજળી પહોંચાડી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. ગામડાઓની આર્થિક સમૃદ્ધિનો આધાર ખેતી છે અને તેના માટે પાણી અને વીજળી ખુબ મહત્વની જરૂરિયાત છે. રાજ્ય સરકરે આ બાબતની નોંધ લઈ જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર ઉભું કર્યું છે. માત્ર એટલું જ નહીં વીજળીના કારણે શિક્ષણ નું સ્તર પણ અગ્રીમ કક્ષાએ આગળ આવ્યું છે. આ પ્રંસગે પડધરી ટંકારા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા,તાલુકા ભાજપ મહામંત્રી મનોજભાઈ, પ્રવીણભાઈ હેરમા ,રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધીરુભાઈ તળપદા,તળશીભાઇ,છગનભાઈ,રોહીત ભાઈ ચાવડા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેટકોના અધિકારી તેમજ પડધરી મામલતદાર,પડધરી તાલુકા વિકાસ અધિકારી મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે