અષાઢ સુદ અગિયારસ એટલે કે આજથી નાની બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થઈ ચુકયો છે. વહેલી સવારથી સાજ શણગાર સજી બાળાઓ મંદિરોમાં ગોરમાંનું પુજન કરવા માટે પહોંચી ગઈ હતી. સતત પાંચ દિવસ સુધી મીઠા વગરનો મોળો ખોરાક ખાઈ બાળાઓ મોળાકત વ્રત કરશે. અષાઢ સુદ પુનમના દિવસે વ્રતનું સમાપન કરાશે અને રાત્રીના ૧૨ વાગ્યા સુધી બાળાઓ જાગરણ પણ કરશે. ચોમાસાની સીઝનમાં બાળાઓ બિમારીનો વધુ શિકાર બનતી હોય છે આવામાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વર્ષોથી મોળાકતના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં અલગ-અલગ મંદિરોમાં આજે બાળાઓએ જવારા અને ગોરમાંનું પુજન કર્યું હતું તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
Trending
- ઉનાળામાં દ્રાક્ષમાંથી બનતી 2 વાનગીઓ, ટેસ્ટી અને હેલ્ધી પણ
- શું આપ જાણો છો? ક્યાં પરિબળોને કારણે આવે છે હીટવેવ?
- ખંભાળીયા: પ્રિ-મોનસુન કામગીરીમાં કચાસ ન રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ
- જો તમે પણ એક દિવસમાં અનેક કપ ચા પીતા હોવ તો આ સમાચાર તમારા માટે છે…
- હરીદ્વારમાં ગજેરા પરિવાર દ્વારા યોજાઇ શિવકથા
- પુત્રીને મારી નાખવાના કેસમાં પ્રેમાંધ માતાનો હાઇકોર્ટે છુટકારો કર્યો
- અમરેલી: પ્રિ-મોનસુન કામગીરી માટે કલેકટર અજય દહિયાએ તંત્રને કર્યુ સજજ
- એલજી ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાનો લાઈફ ગુડ ઓફર્સ સાથે 28માં વર્ષમાં મંગલ પ્રવેશ