Abtak Media Google News

મોરબીના સનાળા રોડ પર વર્ષોથી બંધ પડેલા મકાનનું રીનોવેશન કરતા સમયે મકાનમાંથી આકડાનું ઝાડ કાપતા મૂળમાંથી રિદ્ધિ સીધી સહિતના ગાંપતિજીની પ્રતિમા જેવું મૂળ નીકળતા ભારે કુતુહલ સર્જાયું છે.

પ્રાપ્ય વિગતો મુજબ મોરબી શનાળા રોડ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ મા મકાન નં-૫૩૬ ઘણા સમય થી બંધ પડેલ હતુ. જે મકાન મા જાત જાત ના છોડ ઉગી નિકળ્યા હતા. તે મકાનની ખરીદી તાજેતરમા મોરબીના નયનભાઈ કોટક દ્વારા કરવામા આવેલ હતી. મકાનનુ રીનોવેશન શરૂ કરતી વખતે કુદરતી રીતે ઉગી નિકળેલ છોડને કાપતી વખતે આંકડા ના છોડ નુ મૂળ રિધ્ધી સિધ્ધી સહીત ના ગણપતિજી ના આકાર નુ નિકળ્યુ હતુ એ જોઈ બધા અચંબિત થઈ ગયા હતા.

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યનુ શરૂઆત પહેલા ગણપતિજીનુ સ્થાપન તેમજ પૂજન કરવા મા આવે છે ત્યારે કુદરતી રીતે પ્રગટેલ ગણપતિજીને જોઈ પરિવારજનો ધન્યતા અનુભવી રહ્યા છે

જે કોઈ ભક્તજનને પ્રગટેલ ગણપતિજીના દર્શન કરવા હોય તેમણે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.