Abtak Media Google News

પોલીસે પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબીના રવાપર રોડ પર વ્રજવાટીકા સોસાયટીમાં રહેતી પરિણીતાએ તેના પતિ સહિત ૪ સસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા હોય અને જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વ્રજવાટીકા સોસાયટી પ્લોટ નં-૫ ,એવન્યુ પાર્કની બાજુમા, રવાપર રોડ ખાતે રહેતા અજ્ઞાબેન મિલનભાઈ ગોધાણીએ તેમના પતિ , સાસુ, સસરા અને દિયર મારપીટ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોય તેમજ જાન થી મારી નાખવાની ધમકી આપી છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે પરિણીતાના પતિ મીલનભાઇ હસમુખભાઇ ગોધાણી, સાસુ સરોજબેન ઉર્ફે સરસ્વતીબેન હસમુખભાઇ ગોધાણી, સસરા હસમુખભાઇ પરસોતમભાઇ ગોધાણી અને દિયર હીરેનભાઇ હસમુખભાઇ ગોધાણી સામે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.