Abtak Media Google News

સ્ત્રીઓ પર અત્યાચારો દિન પ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે બળાત્કાર કરનાર નરાધમોને ફાંસી આપવાનો કાયદો બનાવવામાં આવે તેવી માંગ સાથે મોરબી યુવા એકતા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement

મોરબી યુવા એકતા સંગઠને આવેદનમાં જણાવ્યું હતું કે દિન પ્રતિદિન સ્ત્રીઓ પર અત્યાચાર થવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કાશ્મીરના કઠુઆમાં તેમજ ગુજરાતના સુરત અને રાજકોટમાં બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર ગુજારનાર નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ તેવી આવેદનમાં માંગ ઉઠાવી હતી.

બળાત્કારીને ફાંસીની સજા ઉપરાંત સ્ત્રી ઉત્પીડનના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ , આવા કેસોની ફાઇલ ત્રણ મહિનામાં પૂર્ણ કરવી અને સ્ત્રી ઉત્પીડનના કાયદા કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.