Abtak Media Google News

મુંબઈ ખાતે ૧ ડિસે. પૂ.ધીરજમુનિ મ.સા.ના હસ્તે દીક્ષા અંગીકાર કરાશે

બૃહદ રાજકોટ સ. જૈન સંઘના ઉપક્રમે વિરાણી પૌષધશાળા ખાતે દીર્ક્ષાથી કુ.પલકબેન દોશીનું સન્માન રજત શ્રીફળી કરાયું હતું.

Advertisement

2019102008301

આ પ્રસંગે પૂ.સુશાંતમુનિ મ.સા.તા પૂ.હીરાબાઈ મ.સ. તથા જશ-ઉત્તમ-પ્રાણ-સંઘાણી-અજરામરના મહાસતીજી પધાર્યા હતા અને દીર્ક્ષાથીને એકાદ હજાર ભાવિકોએ જયનાદથી વધાવ્યા હતા. ૧ ડિસેમ્બરના ઘાટકોપરમાં પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.ના હસ્તે મુમુક્ષુ દીક્ષા અંગીકાર કરશે.

20191020080134 Img 6163

મને દીક્ષા માર્ગે જવાની પ્રેરણા મનહર પ્લોટ ઉપાશ્રયથી જ મળી છે: પલકબેન દોશી

20191020080007 Img 6161

પૂજય ગુ‚દેવ ધીરજમુની મહારાજ સાહેબના સાનિધ્યમાં હીરાબાઈ મહાસતીજીના શીષ્યા ભારતીબાઈ સ્વામીના ગ્રુપમાં દીક્ષા ગ્રહણ કરશે. હું મુળ રાજકોટની જ છું મને આ પ્રેરણા મનહર પ્લોટ ઉપાશ્રયમાં ચાર્તુર્માસ કરેલ ત્યાંથી મને દીક્ષાનો ભાવ યેલ અને હવે હું દીક્ષા ગ્રહણ કરીશ. બોમ્બે મુકામે તા.૧-૧૨-૧૯ના રોજ.

રાજકોટના આંગણે ઘણા સમય પછી આ અવસર આવ્યો: ઈશ્વરભાઈ દોશી

20191020080743 Img 6164

સ્થાનકવાસી જૈન મોટા સંઘના રાજકોટના આંગણે દીર્ક્ષાથી પલકબેનનું બહુમાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત રાજકોટનાં સંઘો જોડાયેલ છે. શોભાયાત્રા કરણપરા ચબુતરા ચોકથી વિરાણી પૌષધશાળા સુધી જશે તથા શોભાયાત્રા ધર્મસભામાં પરિવર્તિત થશે. દીર્ક્ષાથી પલકબેન દોશીનું  ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજકોટના આંગણે ઘણા સમય પછી આવો અવસર આવ્યો છે. પલકબેનની દીક્ષા તા.૧-૧૨ના બોમ્બે મુકામે દીક્ષા ગ્રહણ કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.