Abtak Media Google News

સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરી

સંધ્યા સમયે નાગાલેન્ડ રાજ્યના મહામહિમ રાજ્યપાલ  એલ.એ. ગણેશન સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેઓશ્રીએ સોમનાથ મહાદેવની સાયં આરતીના દર્શન કર્યા હતા. ત્યારબાદ મહાદેવનો જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા પણ કરી હતી. ટ્રસ્ટના જનરલ મેનેજર   વિજયસિંહ ચાવડા દ્વારા મહામહિમ રાજ્યપાલ એલ.એ.ગણેશન ને સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે વિશેષ રૂપે તૈયાર કરાયેલ મોમેન્ટો, સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર, તેમજ મહાદેવનો પ્રસાદ ભેટ આપવામાં આવ્યા હતા.

Advertisement

મહાનુભાવોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે તૈયાર કરાયેલ વિશેષ પુસ્તિકા પણ મહાનુભવોને અર્પણ કરવામાં આવી હતી. જેમાં સોમનાથની તેમજ સૌરાષ્ટ્રીયન તમિલ પ્રજાની 1001 વર્ષની ગાથા હસ્ત રચિત ચિત્રો દ્વારા સચોટ માહિતી સાથે દર્શાવવામાં આવી હતી.

રાજ્યપાલ  એલ એ ગણેશને સૌરાષ્ટ્ર તામિલ સંગમમાં પધારેલ તમિલ ભક્તો સાથે શુભેચ્છા મુલાકાત લઈ તેમની સાથે સોમનાથ મંદિરનો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.