Abtak Media Google News

રાષ્ટ્રીય કામઘેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહને જબરદસ્ત વિજય બદલ અભિનંદન આપ્યા હતા અને ફીર એકબાર મોદી સરકારને વધાવ્યું હતુ

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશની જાગૃત પ્રજાએ ભારતના પનોતા પુત્ર, પ્રખર રાષ્ટ્રવાદી પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ફરી એકવાર પૂર્ણ વિશ્ર્વાસ મૂકીને મોદીજીને અમિતભાઈને ભારતીય જનતાપાર્ટીને એન.ડી.એ.સાક્ષી પક્ષને ખોબલે ખોબલે મતો આપીને વિજયી બનાવ્યા છે. આ વખતની ચૂંટણી તમામ રીતે ઐતિહાસીક હતી ત્યારે મોદીજીનો વિજય પણ ઐતિહાસીક બન્યો છે. દેશના ખરા અર્થમાં ચોકીદાર નરેન્દ્રભાઈ ગુજરાતનાં ઘર દીવડા છે. આપણા સૌનું ગૌરવ છે.

માં ભારતને પરમ વૈભવના શિખરે પહોચાડવાનું આપણા સૌનું સહિયા‚ સ્વપ્ન અને ભારતને ફરી વિશ્ર્વ ગૂ‚ બનાવવાના ધ્યેયને નરેન્દ્રભાઈ અને સાથી ટીમ સાર્થક કરશે જ એવી શ્રધ્ધા વ્યકત કરીને ભારત સરકારનાં રાષ્ટ્રીય કામઘેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ શુભેચ્છાઓ આપી છે. ગુજરાતનાં પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઈ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને પણ પ્રચંડ સફળતાનું પુનરાવર્તન કરવા બદલ અને રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સૌ સાંસદોને પણ ડો. કથીરિયાએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.