Abtak Media Google News

જ્યારે પણ શિયાળો આવે બાળકોને ખાસ ચ્યવનપ્રાસ ખવડાવવામાં આવતું હોય છે આપણે સૌ કોઇ જાણીએ છીએ કે ચ્યવનપ્રાસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ બેક્ટેરીયાનો નાશ કરવામાં મદદરુપ થાય છે. નાના બાળકોથી લઇને વૃધ્ધો માટે પણ ચ્યવનપ્રાસ યોગ્ય આર્યુવેદિક ઉપચાર છે. જો બજારમાં રેડીમેઇડ ચ્યવનપ્રાસ ઉપચાર છે. જો બજારમાં રેડીમેઇડ ચ્યવનપ્રાસ મળી આવતા હોય છે. પણ તમે તમારા ઘરે કેમિકલ રહીત ચ્યવનપ્રાસ બનાવી શકો છો.

રીત :

સૌ પ્રથમ દોઢ કપ કરમદાને ધોઇ લો. બાદમાં તેને પ્રેશર કુકરની એક સીટી વાગવા દો.

સામગ્રી :

– ૧/૨ કપ કરમદા

– ૬ એલચી

– ૧/૨ મરીના દાણાં

– ૧ તજ

– ૧ ટી સ્પુન જીરુ

– ઘી

– મધ

– ગોળ

ત્યારબાદ ઠંડા થવા દો, હવે ૬ એલચી, દોઢ ચમચી મરીના દાણાં, ૧ મધ્યમ તજ, ૧ જીરુ, ૨ વરિયાળીના બીજને મિક્ષક્ચરમાં પીસી ભુકો કરવો.

હવે એક નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરો તેમાં બાફેલા કરમદાના બી કાઢી તેમાં સાંતળવા દો, ત્યારબાદ મિક્સ કરેલા પાઉડરને ધીમાં ઉમેરો અને પેસ્ટ જેવું બને ત્યાર સુધી ચડવા દો, બાદમાં દોઢ કપ ગોળ અને ૧ કપ મધ આ મિશ્રણમાં ઉમેરી ૫ થી ૮ મીનીટ ચડવા દો. હવે તેને ઠંડુ થવા દો અને તમારુ હોમમેઇડ કેમિકલ ફ્રિ ચ્યવનપ્રાસ તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.