Abtak Media Google News

રાજ્યભરમાં કોરોનાની મહામારીમાં રાત અને દિવસ સેવા બજાવનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજ્યભરમાં 18,000થી પણ વધુ નર્સિંગનો સ્ટાફ પોતાના પગાર વધારવા અને સ્ટાઈફન્ડ જેવા પડતર પ્રશ્નનો સચોટ ઉકેલ લાવવા માટે હડતાલ માર્ગ પર ચાલી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાજ્યભરમાં 18 હજારથી વધુ નર્સ આગામી 14મી જૂનથી હડતાલ પર ઉતરશે: સ્ટાઈફન્ડ, પગાર વધારો સહિતના પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા નર્સિંગ સ્ટાફ ફરી લડત ચલાવશે

સરકારે ગત 25મીએ બેઠક કર્યા બાદ પણ હજુ સુધી એક પણ માંગણી માટે લેખિતમાં નિર્ણય ન કરાતા અંતે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનો નર્સિંગ સ્ટાફ 14મીથી અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. મહત્વનું છે કે કોરોના ઘટતા હવે હોસ્પિટલોમાં અન્ય રોગોની સારવાર અને ઓપરેશનો માંડ માંડ શરૃ થયા છે ત્યારે નર્સિંગ સ્ટાફની હડતાળથી સરકારની મુશ્કેલી વધી શકે છે. આ અંગે યુનાઈટેડ નર્સીસ ફોરમની આજે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી અને જેમાં સરકાર સામે ફરી એકવાર આંદોલન શરૂ કરવાનો ઠરાવ કરવામા આવ્યો હતો.ઉચ્ચતર પગાર ધોરણ,ગ્રેડ પે, વિવિધ પ્રકારના એલાઉન્સિસ તેમજ નર્સિંગની વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ સહિતની વિવિધ માંગણીઓને લઈને યુનાઈટેડ નર્સીગ ફોર્મ દ્વારા ઘણા સમયથી રજૂઆતો કરવામા આવી રહી હતી ત્યારે સરકારે કોઈ નિર્ણય ન કરતા ગત મહિને નર્સિંગ સ્ટાફે હડતાળ પાડી હતી પરંતુ કોરોનાના કેસો વધવા સાથે દર્દીઓ હોસ્પિટલોમા વધુ હોવાથી અને વાવાઝોડુ પણ હોવાથી સરકારે નર્સિંગ એસો.ના હોદ્દેદારોને સમજાવ્યા હતા અને 25મી મેએ બેઠક ગોઠવી હતી.જેને પગલે નર્સિંગ એસો.દ્વારા હડતાળ મોકુફ કરી દેવાઈ હતી. પરંતુ હાલ રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો કોઈ ચોક્કસ ઉકેલ ન આવતા અને કોઈ પણ લેખિત બાંહેધરી પણ ન મળતા અંતે કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને ફરી એકવાર હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે.

સરકારે  સરકારી કોલેજ મેડિકલ ટીચર્સ, જીએમઈઆરએસ ટીચર્સ  તથા જીએમઈઆરએસ નર્સિંગ સ્ટાફ ઉપરાંત રેસિેડન્ટ ડોક્ટરો ઉપરાંત ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથી-ફિઝિયોથેરાપી માટે પણ માંગણીઓ સ્વીકારી તેઓને લાભ આપ્યા છે .માત્ર નર્સિંગ સ્ટાફને કોઈ લાભ અપાતો નથી અને નર્સિંગ સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ પણ અપાતુ નથી.જેથી હવે ના છુટકે 14મીથી ઓચોક્કસ મુદતની હડતાળ પાડવામા આવશે.જેમાં અમદાવાદ સિવલ સહિતની રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને જીએનએમ-એએનએમ નર્સિંગ સ્ટાફ સહિત 18 હજારથી વધુ નર્સ જોડાશે.

આવક લાખોમાં હોય કે કરોડોમાં આ દેશોમાં નથી વસૂલાતો ટેક્સ… વિશ્વ આખા માટે માથાનો દુ:ખાવો બનેલ આ “ટેક્સ હેવન” છે શું ? 

25મીએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નાણા વિભાગના અધિકારીઓ સાથે નર્સિંગ એસો.ના હોદ્દેદારોની મીટિંગ મળી હતી .યુનાઈટેડ નર્સિંગ ફોરમના સેક્રેટરી દેવીબેન દાફડાએ જણાવ્યું કે ગત સરકારે અમારી સાથે વાત કરતા અમને માનવતાના ધોરણે હડતાળ મોકુફ કરી હતી અને ત્યારબાદ 25મી મેની મીટિંગમાં તમામ માંગણીઓ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને સરકાર તરફથી મોટા ભાગની માંગણી બાબતે હકારાત્મક વલણ સાથે લાભો આપવાની ખાત્રી આપવામા આવી હતી.જો કે દસ દિવસ બાદ પણ સરકાર તરફથી કોઈ પણ માંગણી બાબતે લેખિત નિર્ણય જાહેર કરાયો નથી ઉપરાંત ગત મીટિંગની મીનિટસ પણ આપવામા આવતી નથી.આમ નર્સિંગ સ્ટાફ સાથે ભારે અન્યાય કરવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.