Abtak Media Google News

શહિદોને ઈનસાફ કરોના નારા સાથે વિશાળ રેલી યોજાઈ

કાશ્મીરના પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા સદીના સૌથી મોટા આતંકી હુમલાને કારણે ૪૪ જવાનો શહીદ થયા હતા. જે ઘટનાને કારણે ઓખા મંડળમાં જન આક્રોશની જવાળામુખી ફાટી નિકળ્યો હતો. આજરોજ ઓખા માછીમારી આર.કે.બંદરથી ડાલ્ડાબંદર, મેઈન બજાર, નવીબજારના તમામ વેપારીઓએ બંધ પાળી પગપાળા રેલી યોજાઈ હતી.

Advertisement

જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. અહીં પાકિસ્તાન મુર્દાબાદ, નાપાક આતંકીનો નાશ કરો, શહિદોને ઈન્સાફ કરોના નારા સાથે આતંકીઓની અંતિમ યાત્રા અને નાપાક ૧૦૦ ફુટના ઘ્વજને રસ્તા પર રગદોળતા ઓખા બસ સ્ટેશને પહોંચી હતી. અહીં આતંકીના પુતળાદહન, નાપાક ઘ્વજના અગ્નિદાહ જેવા જલદ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.