Abtak Media Google News

હ્રીમ ગુરુજી

શુક્ર ગ્રહને સુખ, વૈભવ, સૌંદર્ય, આનંદ અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તે કુંડળીમાં શુભ સ્થાનમાં હોય તેને ઘણો ફાયદો થાય છે. શુક્ર 15 ફેબ્રુઆરીએ રાત્રે 08:12 કલાકે મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં શુક્ર અને ગુરુના સંયોગને કારણે માલવ્ય રાજયોગ બની રહ્યો છે, જે ત્રણ રાશિઓ મિથુન, ધનુ અને મીન રાશિના લોકોના નસીબમાં સુધારો કરશે.

ભૌતિક અને સુખ સુવિધાઓના કારક ગ્રહ શુક્રનું રાશિ પરિવર્તન 15 ફેબ્રુઆરીએ થવાનું છે. શુક્ર ગ્રહ 15 ફેબ્રુઆરી રાત્રે 8 વાગ્યાને 12 મિનિટ પર મીન રાશિમાં ગોચર કરશે. મીનનો સ્વામી ગ્રહ ગુરુ છે, જે હાલ પોતાની જ રાશિમાં બિરાજમાન છે.

મીન રાશિમાં શુક્ર અને ગુરુની યુતિનો માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે ત્રણ રાશિ મિથુન, ધન અને મીન રાશિના જાતકોનું ભાગ્યોદય કરશે. આ રાજયોગના નિર્માણથી આ રાશિના જાતકોના જીવનમાં ધનલાભનો યોગ બની રહ્યો છે.

શુક્ર હજુ કુંભ રાશિમાં છે અને આ 15 ફેબ્રુઆરીથી ભાગ્યોદય કરશે. આ રાજયોગના નિર્માણથી આ રાશિના જાતકોના જીવનમાં ધનલાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. શુક્ર હજુ કુંભ રાશિમાં છે અને આ 15 ફેબ્રુઆરીથી 12 માર્ચના રોજ સવારે 37 મિનિટ સુધી મીન રાશિમાં રહેશે. તો ચાલો જાણીએ કે શુક્ર ગુરુની યુતિથી બનવા વાળા રાજયોગથી કઈ રાશિના જાતકોને શું ફાયદો થશે.

મિથુન: ગુરુ સાથે શુક્રના યુતિથી રાજયોગ બની રહ્યો છે. માલવ્ય રાજયોગના કારણે તમારું ભાગ્યોદય થઇ શકે છે. તમને તમારા કરિયરમાં સફળતા મળશે. જે લોકો વેપાર કરે છે તેમને ફાયદો થશે અને નોકરી કરતા લોકોને પ્રગતિ થઈ શકે છે.

પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ સાથે, તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને નાણાકીય લાભ થશે. મિથુન રાશિના લોકોના જીવનમાં ઘણી બધી સુખ-સુવિધાઓ રહેશે. તમે ઘર ખરીદી શકો છો અને તમને વાહનનો આનંદ પણ મળશે. નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે. શુક્રની કૃપાથી તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો.

મીન: માલવ્ય રાજ ​​યોગના કારણે મીન રાશિના જાતકોની યશ અને કીર્તિમાં વધારો થશે. જો તમે લાંબા સમયથી સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો, તો તમને સફળતા મળવાની છે. તમને સરકારી નોકરી મળવાના સારા સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન તમારામાં જબરદસ્ત આત્મવિશ્વાસ રહેશે.

વ્યવસાયિક લોકોને વિદેશી રોકાણ માટે પ્રસ્તાવ મળી શકે છે, જે તમારું નસીબ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. વિદેશ પ્રવાસનું સ્વપ્ન પણ પૂરું થઈ શકે છે. તમને સરકાર તરફથી લાભ મળવાની સંભાવના છે. તમારા અટકેલા કામ પૂરા થશે. શુક્રની અસરને કારણે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે. લવ લાઈફ પણ સારી રહેશે.

ધન: માલવ્ય રાજયોગના કારણે નોકરી કરતા લોકોને નવી નોકરી મળી શકે છે, જેમાં તેમનું કદ ઘણું મોટું થઈ શકે છે. તેનાથી તમારો સામાજિક દરજ્જો વધશે અને તમને પૈસા પણ મળશે. આવકમાં વધારો થવાથી આર્થિક બાજુ મજબૂત થશે. આ સમયે ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે. નોકરીમાં પ્રમોશનની પણ સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.