Abtak Media Google News

પૂ. મોરારીબાપુ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં કાલે સંતમિલન અને સન્માન સમારોહ

ડો.નીતિનભાઈ પેથાણી, ડો.વિજયભાઈ દેસાણી, પૂ.વસંતદાસ બાપુ, પૂ.જગજીવનદાસ બાપુ, વિષ્ણુદાસજી દેસાણીનું દબદબાભેર અભિવાદન કરાશે: ધામો-ધામથી સંતો-મહંતો ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવશે

ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા કાલે સંત મિલન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂ.મોરારીબાપુ તથા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશિષ્ટ પ્રતિભાઓને સન્માનીત કરાશે.

કાલે બપોરે 4 કલાકે આત્મીય સંકુલ કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાનાર આ અભિવાદન સમારોહમાં પૂ.વસંતદાસ બાપુ (અખગઢ મહુવા), પૂ. જગજીવનદાસ બાપુ (જૂનાગઢ), ડો.વિજયભાઈ દેસાણી (ઉપકુલપતિ, સૌ.યુનિ.), વિષ્ણુદાસજી દેસાણી (ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ) વગેરેનું પૂ.મોરારીબાપુના હસ્તે અભિવાદન કરાશે.

વૈષ્ણવ સાધુ સમાજ આયોજીત આ સંત મિલનમાં પ.પૂ.મહામંડલેશ્ર્વર લલીત કિશોરદાસજી (લીંબડી), પ.પૂ.મહંત દુર્ગાદાસબાપુ (સાયલા), પ.પૂ.મહંત રસીકબાપુ દેસાણી (ગરણીધામ), બંસીદાસ બાપુ (મેસરીયા), હરિદાસબાપુ દેસાણી (થોરીયાળી), બટુકદાસ સરપદડીયા (દેવગામ), શિવરામદાસ બાપુ (મોરબી), સીતારામબાપુ (ગોંડલ), શાંતિદાસજી દાણીધારીયા (ચણોલ) સહિતના અનેક સંતો-મહંતો હાજરી આપી કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે.

અતિથિ વિશેષ પદે પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી, ડો.નીતિનભાઈ પેથાણી, પૂ.ત્યાગવલ્લભ સ્વામી, નિતીનભાઈ ભારદ્વાજ, મેહુલભાઈ રૂપાણી, કમલેશભાઈ મિરાણી, નેહલભાઈ શુકલ, ભરતભાઈ રામાનુજ વગેરે પધારશે. સાધુ સમાજના અગ્રણીઓ મુકેશભાઈ દેસાણી, રાજુભાઈ દેસાણી, નટુભાઈ હરિયાણી, દલપતભાઈ દુધરેજીયા, ધીરૂભાઈ ગોંડલીયા, આત્મારામ દેસાણી સહિતનાઓ હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.