Abtak Media Google News

છેલ્લા ૨૦ વર્ષોથી ઇન્ચાર્જ ડીજીપીનો સિલસિલો: પોલીસના આત્મગૌરવ માટે કાયમી વડાની નિમણૂંક આવશ્યક

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અને પોલીસ બેડામાં એક આત્મગૌરવ માટે પણ DGPની કાયમી પોસ્ટ આવશ્યક હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ રિટમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીની ખંડપીઠે રાજ્ય સરકારને જરૂરી સુચના મેળવીને રજૂ કરવાનું જણાવી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

આ સમગ્ર મામલે પૂર્વ  IPS રાહુલ શર્માએ હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી છે. જેમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે,રાજકીય હસ્તક્ષેપના લીધે રાજ્યમાં લાંબા સમયથી DGPજેવી અગત્યની પોસ્ટ પર કાયમી નિમણૂક થતી નથી. પોલીસના આત્મગૌરવની રક્ષા માટે DGPની કાયમી પોસ્ટ હોવી આવશ્યક છે. કાયદાકીય જોગવાઇ પ્રમાણે રાજ્યમાં ઉૠ અને IGP નિમણૂક કરવી પ્રાથમિક ફરજ છે. તેને કારણે કાદાકીય પ્રક્રીયા પણ પ્રભાવિત થાય છે. જેને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કડક પગલા લઇ શકાતા નથી. જે બાબતની નોંધ સુપ્રીમ કોર્ટે પણ કેટલાક કેસોમાં લઇ જાહેરહિતમાં પોલીસની તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક જરૂરી સુચનો કર્યા છે. બોમ્બે પોલીસ એક્ટ (ગુજરાત એમેન્ડમેન્ટ) ૨૦૦૭માં સ્પષ્ટ જોગવાઇ છેકે, રાજ્યમાં DG અને IGP પદે કાયમી અધિકારીની નિમણૂક થવી જોઇએ. તે વ્યક્તિની ઓછામાં ઓછી બે વર્ષનો કાર્યકાળ બાકી હોવો જોઇએ.

કાયમી પદ પર અધિકારીની નિમણૂક નહી કરવાનો અર્થ થાય છે કે, સરકાર પોલીસને પોતાના પંજામાં દબાવીને રાખવા ઇચ્છે છે. એવું અવાર-નવાર સાંભળવા મળે છેકે, અધિકારીઓ રાજકીય મોભીઓ સાથે ગુપ્ત બેઠકો કરે છે અને તે બાબતે DG ને વિશ્વાસમાં પણ લેવાતા નથી. લાંબા સમય સુધી ઇન્ચાર્જ DGP તરીકે પી.પી. પાંડેય રહ્યા છે.

સરકાર કેટલાક કિસ્સામાં હાઇકોર્ટને પણ ગેરમાર્ગે દોરે છે. પાંડેય વચગાળાની નિમણૂક હોવાનું કહીને સરકારે તેમને એક વર્ષ કરતા વધારે સમય એક્સટેન્શન આપ્યું હતું. પાંડેયને ચોથી એપ્રિલ ૨૦૧૭ના રોજ હટાવ્યાને પણ છ મહિના થવા છતાં પણ હજુ સુધી કાયમી નિમણૂક અપાઇ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.