Abtak Media Google News

ભોળાનાથને રીઝવવાનો અવસરનો પ્રારંભ થઇ ચૂકયો છે. લાખો શિવભકતોએ પ્રથમ દિને મહાદેવને પ્રાર્થના કરી કોરોના વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા પ્રાર્થના કરી હતી. પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મંદિરે યાત્રાધામ મંત્રી વિભાવરબેન દવેએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યાનો લાભ લીધો હતો. દર્શન બાદ તેમણે મહાપૂજામાં સામેલ થયા હતા અને મહાદેવની મહાપૂજાનો અદભુત લ્હાવો લીધો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે વિભાવરીબેન દવેને સન્માન સહ સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.