Abtak Media Google News

ધારાસભ્ય ધનજી પટેલ, પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલાનું સમાજ સેવક દ્વારા સન્માન કરાયું

સુરેન્દ્રનગર શહેર દાદાના નારા સાથે ગુંજી ઉઠે છે સુરેન્દ્રનગર શહેરમાં ટાવર પાસેના ઘાંચીવાડ ખાતેથી પીર ભડીયાદ કમીટીના અઘ્યક્ષ એવા હાજી સિકંદરભાઇ ખોખર દ્વારા છેલ્લા પાંચ દાયકાથી પીર ભડીયાદ ખાતે પગપાળા યાત્રાળુઓને લઇને પીર ભડીયાદ ખાતે ઉર્ષ શરીફમાં ભાગ લેવા માટે જાય છે.

સુરેન્દ્રનગર પીર મહેમુદશા બુખારીની કમીટીના અઘ્યક્ષ સાથે મુલાકાત વિગતો મેળવતા જાણવા મળી રહેલ વિગતો મુજબમાં સુરેન્દ્રનગર શહેરના ઘાંચીવાડ ખાતેથી છેલ્લા પ૦વર્ષથી મેદની પગપાળા લઇને હોમ દાદા હોમ બુખારી સા ના દરબારમાં પહોંચે છે. ત્યારે હાજી સિંકદરભાઇ ખોખર સુરેન્દ્રનગર પીર ભડીયાદ મહેમુદશા બુખારી દાદાના મેદનીમાં સલામતિ સાથે તમામ કોમના ભાઇ-બહેનોને સુરેન્દ્રનગર થી લઇને પ્રસ્થાન થાય છે.Img 20190316 Wa0020 1552706124271

ત્યારે દાદાની મન્નત (માનતા) દરેક જ્ઞાતિના લોકોની પુરી આસ્થા સાથે થાય છે. સુરેન્દ્રનગર ખાતે ભડીયાદ પીર મહેમુદશા બુખારી દાદાના નિશાન ખાતે માનતા પૂર્ણ થતાં માનતા કરવા માટે દરેક જ્ઞાતિના લોકો નિશાન ઉપડે છે ત્યારે અચુક આવે છે.

ત્યારે ગઇકાલે મેદની તેના અકિત મંદો યાત્રાળુ ભાવિકો સાથે દાદાના નારા લગાવી અને પ્રસ્થાન થયેલ છે. જયારે આ મેદનીના અઘ્યક્ષ હાજી સિકંદરભાઇ ખોખરનું ધારાસભ્ય દ્વારા સન્માન કરી દેશમાં કોમી એકતા જળવાય તેવી દાદાના દરબારમાં દુવા કરવા માટે જણાવ્યુેં હતુે જયારે  ભાજપના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા ગાયત્રીબેન કેલા દ્વારા નિશાન ના દર્શન કરવાનો લાભ લેવામાં આવ્યો હતો. સાથે સલીમભાઇ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.