Abtak Media Google News

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ તથા જેસીપી ખુર્શીદ અહેમદ સાહેબ તેમજ DCP પ્રવીણ કુમાર સાહેબ ની સુચના મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ની મુલાકાત લીધી જ્યાં ત્રણેક મહિના પહેલા બિનવારસી મળી આવેલ દીકરી જેનું નામ પોલીસ કમિશનર સાહેબે અંબા પાડેલ હતું અને આ દીકરી ની તમામ સાર સંભાળ હજી સુધી પોલીસે લીધેલ છે.

હજી પણ પોલીસ કમિશનર સાહેબે અંબા નહિ મુલાકાત લેવા તથા એની સારસંભાળ લેવા માટે સૂચનાઓ આપેલ છે અને ઘણા સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ હતી અને હાલમાં તે બાલાશ્રમમાં છે જ્યાં એસીપી પૂર્વ રાઠોડ સાહેબ તથા પી.આઈ વી કે ગઢવી એ આ દીકરી ને મુલાકાત લીધેલ છે.

સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ વોરા સુપરિન્ટેન્ડન્ટ પલ્લવીબેન જોષી કથા બાલાશ્રમ નો સ્ટાફ અંબાણી દેખરેખ ખૂબ જ સારી રીતે કરી રહેલ છે અને જણાવ્યું છે કે અંબે બિલકુલ સ્વસ્થ છે અને ખૂબ રમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.