Abtak Media Google News

ધર્મ ગુરુએ ફરિયાદ નોંધાવી હતી: આત્મહત્યા કરતા હોવાનો વીડિયો વાયરલ કર્યો: ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

પોરબંદરના મેમણવાડા વિસ્તારના ત્રણ યુવકોએ ઝેરી દવા પી આત્હત્યા કરતા હોવાનો વીડિયો વાયરલ કરી ઝેર ગટગટાવી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્રણય યુવક સહિત સાત શખ્સો સામે ધાર્મિક લાગણી દુભાવવા અંગેનો પોલીસમાં તેમના ધર્મ ગુરુ દ્વારા ફરિયાદ નોંધાવતા આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું જાણવા મળે છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં નગીના મસ્જીદની બાજુમાં રહેતા યુસુફ મહંમદ પુજાણીએ પોરબંદરના જ આબીદ અનવર કાદરી, ઇકબાલ અનવર કાદરી ઉર્ફે ઇકુબાપુ, સમીર યુસુન કાદરી, સકીલ યુનુસ કાદરી, ઇમ્તીયાઝ હારુન સિપાઇ અને યુનુસ કાદરી તેમજ અજાણ્યા શખ્સો સામે નગીના મસ્જીદના મોલાના હાફિઝ વાસીફરઝા સાહેબે મસ્જીદમાં આવેલા ધાર્મિક પ્રવચનનો વિરોધ કરી તમામ શખ્સોએ હાફિસ સાહેબ તેમજ તેમના અનુઆયીઓને ગાળો દઇ સાજીદ અમીન ગીગાણીને માર મારી ધમકી દઇ હાફિસ સાહેબ તથા મુસ્લિમ આગેવાનોને મારી નાખવાની ધમકી આપી ધાર્મિક પ્રવચન વિરુધ્ધ બેફામ બોલી યુસુફ પુજાણી અને સાજીદ ગીગાણીની ધાર્મિક લાગણી દુભાવી ધમકી ભરી ઓડિયો ક્લિપ મોકલ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ સાતેય યુવકો પૈકી ત્રણ યુવકોએ ઝેરી દવા પીતા હોય તેવો વીડિયો વાયરલ કર્યો હતો. ત્રણેયને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કિર્તી મંદિર પોલીસ મથકના સ્ટાફે ત્રણેય યુવકના નિવેદન નોંધી  તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.