Abtak Media Google News

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોનો સર્વે કરવા કલેકટરને પત્ર

રૂપાણી સરકાર દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે સહાય પેકેજ જાહેર થાય તેવી શકયતા જોવા મળી રહી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આ બાબતે જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને સર્વેના પણ આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે મહત્વના સમાચાર છે. કોરોના અને લોકડાઉનને કારણે કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે હવે સરકાર કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરને સૂચના આપી દરેક ગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની યાદી મંગાવી છે. સરકારે મામલતદાર અને આગેવાનોની મદદથી ૨ દિવસમાં આ સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.