Abtak Media Google News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્ડીને ગુરુવારે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારીકાને પણ મરણોપરાંત આ સન્માન મળ્યું છે. દિનદયાળ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટના ચેરમેન વિરેન્દ્રજીત સિંઘે નાનાજી દેશમુખના વતી આ સન્માન સ્વીકાર્યુ છે.

સાથે જ ભૂપેન્દ્ર હજારીકાના દીકરાએ તેમના વતી આ સન્માનનો સ્વીકાર કર્યો છે. મુખરજી આ સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પાંચમા રાષ્ટ્રપતિ છે. તેમના પહેલાં આ સન્માન ડૉ. એસ રાધાકૃષ્ણન, રાજેન્દ્ર પ્રસાદ, ઝાકિર હુસૈન અને વીવી ગીરીને મળી ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.