Abtak Media Google News

માણાવદરમાં પીએસઆઈ વાજાએ જયારે ચાર્જ સંભાળ્યો હતો ત્યારથી કચેરીની કામગીરીમાં ઘણું જ પરિવર્તન આવેલ હતુ નાનામાં નાના વ્યકિતને પુરતો સંતોષ મળે તેવી કામગીરી થતી નથી.માણાવદરનાં સેકન્ડ પોલીસ સબ ઈન્સ્પેકટર એન.કે.વાજાની ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે બદલી થતા નવ નિયુકત પીએસઆઈ પી.જે.બોદર અને સેકન્ડ પીએસઆઈ આર.જી. મહેતા દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં પીએસઆઈ વાજાનું ફૂલહારથી સ્વાગત માણાવદરનાં પત્રકાર હિતેષ પંડયા અને જીજ્ઞેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ તેમજ માણાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મોહ મીઠુ કરાવી ને વિદાય આપવામાં આવી હતી. તેમજ માણાવદર પોલીસ સ્ટેશનમાં નવનિયુકત પોલીસ સબ ઈન્સ્પેકટર પી.જે. બોદર અને સેકન્ડ પીએસઆઈ આર.જી. મહેતાને આવકારવામાં આવ્યા હતા. આ વિદાય સમારોહ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો.જેમાં માણાવદર પોલીસ સ્ટાફ, પત્રકારો અને આગેવાનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.