Abtak Media Google News

સ્વામિનારાયણ મંદિર આયોજીત નરનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવમાં થશે સામેલ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ગત સપ્તાહે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન આગામી શનિવારના રોજ તેઓ ફરી ગુજરાતમાં પધારી રહ્યા છે.

ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંઘના વડા સહભાગી જશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર વિભાગના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર ભુજના શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મહંત સ્વામી પૂ. ધર્મનંદનદાસજી અને સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક  મોહન ભાગવતને નિમંત્રણ આપવામાં આવ્યુ હતું. પૂ.સંતોના નિમંત્રણને માન આપીને આ મહોત્સવમાં સહભાગી થવા સંઘના સરસંઘચાલક  મોહન ભાગવત ભુજ પધારી રહ્યા છે. મોહન ભાગવત આગામી 22 એપ્રિલને શનિવારના રોજ બપોર પછી મહોત્સવ સ્થળે  પહોંચી યજ્ઞ શાળા દર્શન, ગૌ મહિમા દર્શન પ્રદર્શની, પ્રાકૃતિક ખેતીના પ્રયોગ અને સાંસ્કૃતિક પ્રદર્શનની મુલાકાત લેશે.  ત્યારબાદ મુખ્ય સભા મંડપમાં ધર્મ સભાને જાહેર સંબોધન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.