Abtak Media Google News

મધુબન ડેમમાંથી પણ પાણી છોડાયું

દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. આ ઉપરાંત મધુબન ડેમમાંથી પણ પાણી છોડાયું છે. જેનાથી નદીઓ અને ખાડીઓમાં ધોધમાર જળપ્રવાહ વહેતો યો છે. ગત શનિવારની રાત્રીથી જ જોરદાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે તો લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા છે. જો કે સુચના મળતાં જ પ્રશાસનિક અધિકારીએ આવી પહોંચી પાણીનો નિકાલ કર્યો હતો. પાણી ભરાવાથી રસ્તાઓ પણ બંધ થયા હતો અને ટ્રાફિક જામ થયો હતો. વરસાદી મારૂતી એપાર્ટમેન્ટમાં પાણી ભરાયું હતું. ત્યારે કોઈ દુર્ઘટના જ સર્જાઈ તે માટે વીજ પુરવઠો બંધ કરાયો હતો.

Advertisement

મધુબન ડેમમાંથી દોઢ લાખથી વધુ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જેથી નદી કિનારાના લોકોને સતર્ક કરાયા હતા. સામરવરણી અને મસાટ ગામના લોકોને પણ સચેત કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.