Abtak Media Google News
પોલીસની નજરથી બચી વૃદ્વે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

અબતક, રાજકોટ

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં જીવતિંકાનગરમાં ગઇકાલે પત્નિ અને સાળીને મિલકતના પ્રશ્ર્ને માથામાં હથોડાંના ઘા ઝીંકનાર વૃદ્વે ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્ની અને સાળીને હથોડાંના ઘા ઝીંકનાર વૃદ્વ પોલીસની નજરથી બચી પોતાના ઘરે પહોંચ્યા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં જીવતિંકાનગરમાં રહેતા અરવિંદભાઇ મુળજીભાઇ વાઢેર નામના 65 વર્ષના વૃદ્વે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ તપાસના ચક્રોગતિમાન હાથ ધર્યા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અરવિંદભાઇ વાઢેરને પોતાની પત્ની ઉષાબેન વાઢેર સાથે મિલકત બાબતે ઝઘડો ચાલતો હોવાથી ગઇકાલે વહેલી સવારે અરવિંદભાઇએ તેની પત્ની ઉષાબેન અને તેની સાળી હકુબેન બચુભાઇ પરમારને માથામાં હથોડાંના ઘા ઝીંક્યા હતા. જેની નોંધ ગાંધીગ્રામ પોલસ મથકમાં થતાં પોલીસે અરવિંદભાઇની શોધખોળ હાથધરી હતી પરંતુ સાંજ સુધી અરવિંદભાઇ પોલીસના હાથમાં આવ્યા ન હતાં.

આ ઘટના બાદ વૃદ્વ અરવિંદભાઇ વાઢેરે પોલીસની નજરથી બચી પોતાના ઘરે પહોચ્યા હતાં. જે દરમિયાન કોઇ પાડોશીને અરવિંદભાઇના ઘરે કોઇ હાજર હોવાની જાણ થતાં પોલીસ મથકમાં જણાવ્યું હતું. જેથી પોલીસે અરવિંદભાઇના ઘરે તપાસ કરવા જતાં વૃદ્વ અટકતી હાલતમાં મળી આવ્યા હતાં. વૃદ્વે પત્ની અને સાળીને માથાના ભાગે હથોડાંના ઘા ઝીંક્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.