Abtak Media Google News

અવસર લોકશાહીનો

ધોરાજી જેતપુર શહેર – ગ્રામ્યમાં 550થી વધુ નાગરિકોએ અવસર રથની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022નું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાનાર છે ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જે અન્વયે ગત ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2017માં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ દ્વારા “સ્વીપ” વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

જે અનુસંધાને તા. 08 નવેમ્બરના રોજ જેતપુર શહેર અને પ્રેમગઢ, પાંચ પીપળા, કેરાળી, જામ કંડોરણા, અડવાળા, ચરલ, બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કર્યા હતા. જેમાં 550 થી વધુ નાગરિકોએ અવસર રથની મુલાકાત કરી મતદાન અંગે જાણકારી મેળવી હતી. જ્યારે આજરોજ અવસર રથ ધોરાજી ખાતે આવી પહોંચ્યો હતો. આ તકે ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં ફરીને આગામી ચૂંટણીમાં લોકો ઉત્સાહ ભેર મતદાન કરવા જોડાય તે માટે જાગૃતિ ફેલાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકશાહીના આ અવસરે દરેક મતદાર ઉત્સાહસભર જોડાય તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તે માટે  “સ્વીપ” દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.