Abtak Media Google News

અકસ્માતો નિવારવા અને ટ્રાફિક અવેરનેસ માટે માલિયાસણ ચોકડી પર હેલ્મેટ વિતરણનો નવતર પ્રયોગ

શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે, જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

વાહન ચાલકો માટે રાજયસરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે  અકસ્માતો બનતા રહે છે, જેનાથી બચવા માટે શહેર પોલીસના સંકલનમાં રહીને પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટે સ્થાનિક કક્ષાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વાહન ચાલકો પાસેથી દંડની સામે હેલ્મેટ આપવામાં આવે છે, જેથી વાહન ચાલક હેલ્મેટનો ઉપયોગ કરી અકસ્માતથી બચી શકે અને ટ્રાફિક મેનર્સ ઊભી થાય.

આ પ્રયોગ અંતર્ગત માલિયાસણ ચોકડી પરથી પસાર થતાં વાહનોનો અકસ્માત નિવારવા માટે દંડ લેવાના બદલે હેલ્મેટ આપવામાં આવે છે. આ અભિયાનમાં પી.એસ.આઈ. પી.એલ. ધામા, એ.એસ.આઇ. કિરીટસિંહ અને સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ   વાલાભાઈ અને રોહિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.