Abtak Media Google News

વોર્ડ નં.16ના અમુક વિસ્તારોમાં પાણીના વાલ્વ ખોલી નાખતા હોય જેના કારણે પુરા ફોર્સથી પાણી મળતું ન હોવાની રજૂઆત કોર્પોરેટર અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા મેયર ડો.પ્રદીપ ડવને કરવામાં આવેલ.

26

જેના અનુસંધાને મેયરે સિટી એન્જીનીયર અને સંબંધક અધિકારીને ચેકિંગ કરવા તથા આવા લેભાગુ તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ. જે અંતર્ગત આજ તા.23/03/2021ના રોજ વોર્ડ નં.16ના એન્જીનીયર સ્ટાફ તથા વીજીલન્સ સ્ટાફ સાથે રાખી અંકુર સોસાયટી, જંગલેશ્વર મેઈન રોડ વિગેરે જગ્યાએ ચેકિંગ કરવામાં આવેલ. અગામી દિવસોમાં પણ આ ચેકિંગ ચાલુ રહેશે અને જો કોઈ આવા આસામી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.