Abtak Media Google News

૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપની જીત થયેલી છે. જેને લઈ રાજકોટ સરગમ કલબ દ્વારા તમામ ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, કોઈપણ ચુંટણી હોય અને તેમાં જયારે ભાજપનો વિજય થયો હોય ત્યારે તમામ ઉમેદવારોનો સન્માન સમારંભનું આયોજન થતું હોય છે. જેને લઈ ધારાસભ્યોનું સન્માન સમારંભ યોજાયો હતો. આગામી દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રીનો પણ સન્માન સમારંભ યોજાશે. જેમાં વજુભાઈ વાળા અધ્યક્ષ સ્થાને રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.