રાજકોટથી મુંબઈ દરરોજ સાંજે 5 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઈટનું નિયમિત સંચાલન થાય છે, પરંતુ મુંબઈમાં દોઢેક મહિના સુધી રન-વેનું મેન્ટેનન્સ કામ ચાલવાનું હોય રાજકોટ-મુંબઈ સાંજની ફ્લાઈટને અસર થઇ છે. આગામી તારીખ 31 માર્ચ 2019 સુધી રાજકોટથી દરરોજ સાંજે 5 કલાકે મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ મંગળવારે, ગુરુવારે અને શનિવારે ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.જેના કારણે મુંબઈથી 4 કલાકે રાજકોટ આવવા માટે ટેકઓફ થતી એર ઇન્ડિયાની ફ્લાઈટ આગામી 31 માર્ચ સુધી મુંબઈથી ટેકઓફ નહીં થઇ શકે.આથી રાજકોટથી પણ આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે રદ કરવામાં આવી છે. રન-વેની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી આ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ