Abtak Media Google News

રાજકોટથી મુંબઈ દરરોજ સાંજે 5 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઈટનું નિયમિત સંચાલન થાય છે, પરંતુ મુંબઈમાં દોઢેક મહિના સુધી રન-વેનું મેન્ટેનન્સ કામ ચાલવાનું હોય રાજકોટ-મુંબઈ સાંજની ફ્લાઈટને અસર થઇ છે. આગામી તારીખ 31 માર્ચ 2019 સુધી રાજકોટથી દરરોજ સાંજે 5 કલાકે મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ મંગળવારે, ગુરુવારે અને શનિવારે ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.જેના કારણે મુંબઈથી 4 કલાકે રાજકોટ આવવા માટે ટેકઓફ થતી એર ઇન્ડિયાની ફ્લાઈટ આગામી 31 માર્ચ સુધી મુંબઈથી ટેકઓફ નહીં થઇ શકે.આથી રાજકોટથી પણ આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે રદ કરવામાં આવી છે. રન-વેની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી આ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.