Abtak Media Google News

રેલનગર અને ધર્મજીવન સોસાયટીમાં રહેતા બંને વૃધ્ધાએ બિમારીથી કંટાળી જીવન ટુંકાવ્યું

રાજકોટ શહેરમાં રેલનગર અને ધર્મજીવન સોસાયટી બે વિસ્તારોમાં રહેતા વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રેલનગર વિસ્તારમાં રામેશ્વરપાર્કમાં રહેતા હેમકુંવરબેન શ્યામજીભાઈ ઝાલા નામના વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમણે ચાલુ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે.

જયારે અન્ય એક બનાવમાં ધર્મજીવન સોસાયટીમાં ધરતી એપાર્ટમેન્ટમાં રહેતા સવિતાબેન નાગજીભાઈ સખીયા નામના વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાઈ રહ્યો છે.

બંને વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ પોલીસે બંને ઘટનાની નોંધ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.