Abtak Media Google News

ગુજરાત ખાદીમાં 30% અને અન્ય પ્રાંતની ખાદી પર 10% વળતર

Advertisement

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિથી તા.2જી ઓકટોબરથી ખાદીમાં  રિબેટ (વળતર) શરૂ થયેલ છે.  આ વખતે ગુજરાત  સરકારે ગુજરાત ખાદીમાં 30% વળતર જાહેર કરેલ છે. અને  સંસ્થાએ  પોતાનું 10% વિશેષ વળતર આપતા  ચાલુ વર્ષે  અત્યાર ગુજરાત ખાદીમાં 40% વળતર હાલ આપવામાં આવે છે.

પરપ્રાંત ખાદીમાં 20% વળતર હાલ આપવામાં આવે છે. આ ખાદીમાં 40% વળતર જાહેર થતા  ખાદી ગ્રામોદ્વોગ ભવન ત્રિકોણબાગ રાજકોટનું છેલ્લા 12 દિવસમાં  ખાદીનું વેચાણ 33 લાખનું  થયેલ છે. અને ગ્રામોદ્યોગ હેન્ડીક્રાફટનું 9 લાખનું મળીને 12 જ દિવસમાં  42 લાખનું વેચાણ થયેલ છે. તેમ મેનેજર જીતેન્દ્રભાઈ શુકલએ જણાવ્યું હતુ.

40% વળતરથી આ વર્ષે  ગત વર્ષ કરતા 12 દિવસમાં વેચાણમાં 34 થી 40% જેટલો વધારો થયેલ છે. આ વળતરનો  લોકો વધુ લાભ લઈ શકે તે માટે ખાદી ભવન ત્રિકોણબાગ બધા જ રવિવાર અને દિવાળીના દિવસે પણ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.