Abtak Media Google News

ઉપપ્રમુખ પદે હર્ષદભાઇ વિઠલાણીની નિમણુંક

મોરબી રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્રના પ્રખ્યાત સિયારામ મંડળી સંચાલીત રામચરિત માનસમંદીર રતનપરના પ્રમુખ તરીકે સર્વાનુમતે રાજુભાઇ પોબારુની વરણી થયેલ છે.

રામજી મંદિર રતનપરનું ધાર્મિક રીતે એક આગવું મહત્વ છે. વિશાળ ખુલ્લી જગ્યા સાથે દુરથી મંદિરની ભવ્યતા નજરે પડે છે. મંદિરના ઘણા અનુયાયીઓ વિવિધ ધાર્મિક પ્રસંગે એકઠા થઇને શ્રઘ્ધાપૂર્વક પ્રસંગો ઉજવે છે. અત્રેએ નોંધવું જરુરી છે કે રાજુભાઇ પોબારુ સમસ્ત રાજકોટ લોહાણા મહારાજના પ્રમુખ છે. રાજકોટ કોમર્શીયલ સેન્ટર (સટ્ટાબજાર) ના વર્ષોથી ચેરમેન છે. કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં સેક્રેટરી તરીકે તેમજ રણછોડદાસજી આશ્રમમાં પણ ટ્રસ્ટ તરીકે કાર્યરત છે. મહાજન તરીકેની તેમની પ્રતિષ્ઠ અને તેમણે કરેલા વિવિધ કાર્યો પ્રસંશનીય છે હવે રતનપર મંદિરના પ્રમુખ તરીકે વરણી થતા આ મંદિરનો ભવ્ય વિકાસ થશે એ નિ:શક છે.

રામ ચરિત માનસ મંદિરના ઉપપ્રમુખ તરીકે હર્ષદભાઇ વિઠલાણીની નિમણુંક થયેલ છે હર્ષદભાઇ વિઠલાણી, રાજકોટ કોમર્શીયલ સેન્ટરના વાઇસ ચેરમેન તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે. તેમજ રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીઝના ઉપપ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે ઉપરોકત ટ્રસ્ટના પ્રવીણસિંહ ઝાલા (રતનપર) સેક્રેટરી તરીકે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.