Abtak Media Google News

રાજુલા પોલીસ મથકમાં રાઇટર તરીકે ફરજ બજાવતા મનુભાઈ સુરીગભાઈ મેંગળ નુ ફરજ દરમિયાન હાર્ટ એટેક થી મૃત્યુ પોલીસ બેડામાં શોક સાથી કર્મચારીઓ સમાચાર સાંભળી સતબ્ધ  થયા હતા. રાજુલા પોલીસ મથકમાં  રાઇટર તરીકે બજાવતા મનુભાઈ સુરિંગભાઈ મેગળ ઉંમર વર્ષ 45 તેઓ આજરોજ ચાલુ ફરજ દરમિયાન અચાનક જ હાર્ટ એટેક આવી જતા તેમનું અવસાન થયેલ છે.

તેઓ મૂળ બાબરીયાધાર ના હતા આમ આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ વ્યાપારીઓ માં શોકનો માહોલ સર્જાયો હતો પોલીસ બેડાના સાથી કર્મચારીઓ સમાચાર સાંભળી સતબ્ધ થઈ ગયા હતા અને સાંજના સમયે પોલીસ કાફલો બાબરીયાધાર મુકામે જઈ પહોંચ્યો હતો ત્યાં જઈ તેમના પરિવારને આસ્વથ કર્યા હતા તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પુરી નિષ્ઠા તેમજ ઈમાનદારી થી ફરજ બજાવી હતી જેની સૌ કોઈએ નોંધ લીધી હતી કોરોના કાળ હોય કે પછી તોકે ત વાવાઝોડું તેમણે હંમેશા લોકોની વચ્ચે રહી લોકોની હર હંમેશ મદદ કરી જેને આજે લોકો યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.