Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આ આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ રામમય બન્યા છે ત્યારે આ મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અયોધ્યાના રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિનો રથ શણગારી રથમાં રામજીની પાદુકાનું રાજકોટ શહેરીજનો પૂજન-અર્ચન કરી શકે તે માટે એક ભવ્ય ફ્લોટ્સ તૈયાર કરવામાં આવેલ છે અને આ ફલોટ્સ શહેરના તમામ વોર્ડમાં આગામી તા.22 જાન્યુઆરી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સુધી ફેરવવામાં આવશે.

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે રથનું પ્રસ્થાન

ત્યારે આ આબેહુબ રામમંદિર પ્રતિકૃતિના રથનું પ્રસ્થાન આજે બપોરે 1.00 કલાકે શહેર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતેથી પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવશે તો તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.