Abtak Media Google News
  • અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાની ખુશીમાં શ્રીરામની જીવન યાત્રાના થશે ‘દર્શન’
  • અબતકની મુલાકાતમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ના પદાધિકારીઓએ ગુજરાતમાં સૌપ્રથમ યોજનારા જય શ્રી રામ જીવન યાત્રા કાર્યક્રમની આપી વિગતો

અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ થી દેશભરના રામ ભક્તોમાં ભારે આનંદનો અવસર મનાવાઇ રહ્યો છે ત્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા સૌરાષ્ટ્રમાં જ નહીં ગુજરાત અને દેશભરમાં સૌપ્રથમવાર કહી શકાય તેવા ભગવાન શ્રીરામની જીવન યાત્રા પર સંગીત અને નૃત્ય  સાથે ના જયશ્રીરામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અબ તકની મુલાકાતે આવેલા રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ના આગેવાનો પ્રમુખ નિલેશભાઈ ભોજાણી, જયદેવભાઈ શાહ, મેહુલભાઈ નથવાણી ,આશિષભાઈ જોશી સહિતના આગેવાનોએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ થી સમગ્ર દેશમાં ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા સૌપ્રથમવાર શ્રીનાથજી ની ઝાંખી ની જેમ ભગવાન રામની સંપૂર્ણ જીવન યાત્રા પર સંગીત અને નૃત્ય સાથેના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,

જય શ્રી રામના શીર્ષક હેઠળ યોજનારા આ કાર્યક્રમ નું આજે  તારીખ 29 જાન્યુઆરી રાત્રે 9:00 વાગે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલમાં  આયોજન કરવામાં આવ્યું છે

ભગવાન શ્રી રામ નો અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે ત્યારે સૌની આસ્થા ના પ્રતિક એવા ભગવાન શ્રી રામ ના જીવન પરથી આજના યુવા સમાજ ને શીખ મળે તેવા ઉમદા હેતુથી રોટરી કલબ ઓફ રાજકોટ

ગ્રેટર દ્વારા આયોજીત અને એકમ રિયાલિટી દ્વારા પ્રાયોજિત

ભગવાન શ્રીરામની જીવનયાત્રા ની અનોખી સંગીત અને નૃત્ય સાથે ની રજૂઆતનો એક સાવ અનોખો પ્રયોગ જયશ્રી રામ” થવા જઈ રહ્યો છે.

આજે 29 જાન્યુઆરી, 2024, સોમવારે રાત્રે 9:00 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે  યોજાનારા આ કાર્યક્રમ માં જીજ્ઞેશ ગોસ્વામી આશુતોષ મ્યુઝિક ઈવેન્ટ ના સંકલનથી ખુબજ જાણીતા એવા નિધિબેન ધોળકિયા, દેવ ભટ્ટ અને રાજીવ શ્રીમાળી જેવા ઉત્તમ ગાયક કલાકારો / શ્ર7) (શ?? કાર્યક્રમ નું સંચાલન રાકેશ ભટ્ટ કરશે. સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ રાકેશ કડીયા નું સાંઈ આર્ટ ગૃપ કરશે.

જેવી રીતે “શ્રીનાથજી ની ઝાંખી ” કાર્યક્રમ થી આપણે સૌ પરિચિત છીએ એવા કોન્સેપ્ટ સાથે પરંતુ કાંઈક અલગ અને અનોખો અને અદભુત કાર્યક્રમ ભગવાન શ્રી રામ ના જીવન આધારિત થવા જઈ રહ્યો છે.

આ ભવ્ય કાર્યક્રમનું યુ ટ્યુબ ચેનલ પર થી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ના પ્રેસિડેન્ટ રો.નિલેશ ભોજાણી અને સેક્રેટરી રો.જયદેવ શાહ દ્વારા જાહેર જનતા ને આ કાર્યક્રમ આજે રાત્રે 9:00 કલાકે  માણવા અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ના . મેહુલ નથવાણી, જયદીપ વાઢેર, આશિષ જોશી તથા ક્લબ ના   મેમ્બર્સ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.