Abtak Media Google News

પ્રેમીની સગાઈ થતાં પ્રેમીકાએ એસીડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

શહેરના મોરબી રોડ પર આવેલા રામનાથ પાર્કમાં રહેતી યુવતી સાથેનો યુવકે પ્રેમસંબંધ તોડી નાખતા યુવકની અન્ય યુવતી સાથે સગાઈ થતાં પ્રેમીકાએ એસીડ પી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા રામનાથ પાર્ક, રઘુવીર પાનવાળી શેરીમાં રહેતી નયના મોહનભાઈ ચૌહાણ નામની ૨૧ વર્ષની યુવતીએ પોતાના ઘરે એસીડ ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

Advertisement

મૃતક નયના ચૌહાણને પડોશમાં જ રહેતા જયેશ ભવાનભાઈ જસાણી સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. દરમિયાન જયેશ જસાણીની તાજેતરમાં જ તેની જ્ઞાતીના રિવાજ મુજબ સગાઈ થતાં નયના સાથેના પ્રેમસંબંધ તોડી નાખ્યા હતા. આમ છતાં નયના ચૌહાણ પોતાનો પ્રેમસંબંધ ચાલુ રાખવા દબાણ કરતી હોવાથી જયેશ જસાણીના ભાભીને જાણ થતાં નયના ચૌહાણને ઠપકો દેતા એસીડ પી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક નયના ચૌહાણ ઈમીટેશનનો વ્યવસાય કરતી હોવાનું અને બે ભાઈ અને ચાર બહેનમાં નાની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.