Abtak Media Google News

માસ, મટન અને મચ્છીના વેચાણ કે સ્ટોરેજ પર પણ પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

આગામી ૧૪મી એપ્રીલના રોજ રામનવમી અને ૧૭મી એપ્રીલના રોજ મહાવીર જયંતિના પાવન પ્રસંગો આવી રહ્યા છે ત્યારે રામનવમી અને મહાવીર જયંતિના દિવસે મહાપાલિકાની હદ વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ બંધ રાખવા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.

તા.૧૪ એપ્રીલના રોજ રામનવમી તથા ૧૭મી એપ્રીલના રોજ મહાવીર જયંતિ નિમિતે શહેરમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તથા માસ, મટન કે મચ્છીના વેચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે

આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા તાકીદ કરવામાં આવી છે છતાં જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.