Abtak Media Google News

ગત વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022 માં RBIનું સરવૈયું 61.9 લાખ કરોડે પહોંચ્યું

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તથા દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે મહેનત કરતું હોય છે અને તે દિશામાં જ ધ્યાન કેન્દ્રિત કરી સતત આગળ વધે છે અને નવા નિયમોની અમલવારી શરૂ કરતો હોય છે આ તકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નું સરવૈયું ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 8.50 ટકા વધી 61.9 લાખ કરોડે પહોંચ્યું છે. જે ખરા અર્થમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટે એક સૌથી મોટી ઉપલબ્ધિ પણ માની શકાય. જો આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે તો આરબીઆઇ અને દેશમાં રાજકોષીય ખાધ ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહી છે તેમ છતાં જે વિકાસ થયો છે તેનું મુખ્ય કારણ યોગ્ય નીતિ ઘડવામાં આવી છે તે પણ એક કારણ છે. માહિતી મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સરવૈયુ માં જે વધારો થયો છે તેની પાછળ વિદેશી રોકાણ, સ્થાનિક રોકાણ સોના-ચાંદીમાં કરેલું રોકાણ મુખ્ય ભાગ ભજવ્યો છે.

બીજી તરફ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે ગત નાણાકીય વર્ષમાં 65.11 મેટ્રિક ટન સોનાનો જથ્થો પડેલો છે જે બેંકના સરવૈયામાં હકારાત્મક પાસું તરીકે ઉભરી આવ્યું છે. ગીતા રફ કોરોના ના કપડા સમય બાદ રશિયા યૂક્રેનના યુદ્ધની સ્થિતિ આજે પણ જે રીતે દેશની અર્થવ્યવસ્થાને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બેન્ક દ્વારા જે પગલાં લેવામાં આવ્યા હતા તે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રિઝર્વ બેંકની આવકમાં 20.14 ટકાનો વધારો નોંધાયો છે જ્યારે ખર્ચમાં 280 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તારા રિઝર્વ બેંકનું જે સરવૈયું છે તે સારા ટકા વધી 61.9 લાખ કરોડે પહોંચ્યું છે.

તમે સમયમાં પણ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે વધુ ને વધુ ખર્ચ કરી દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે વિકસિત બનાવી શકાય અને તેના માટે ક્યાંક ને ક્યાંક સરકાર જાણે દેવું કરીને પણ ઘી પીતો હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે. સાથોસાથ સરકારે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્ર કરીને એવા સ્પષ્ટ કરી છે કે જે કર્મચારીઓનો જે ખર્ચ થતો હતો તેમાં પણ 1919 ટકાનો ઘટાડો નોંધાયો છે એટલે ક્યાંક ને ક્યાંક હાલ જે પોઝિટિવિટી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સરવૈયામાં જોવા મળી છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આરબીઆઈએ તમામ જરૂરી અને મહત્વપૂર્ણ સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાને કેન્દ્ર સ્થાનમાં રાખે છે અને તે મુજબની કામગીરી હાથ ધરી છે.

હાલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે ગત વર્ષની સરખામણીમાં જે સ્થાનિક કેસેટ માં વધારો જોવા મળ્યો તે 28 ટકા જેટલો છે. આવનારા સમયમાં પણ અને આગામી નાણાકીય વર્ષમાં પણ રિઝર્વ બેંક તેનું સરવૈયું વધુ મજબૂત બનાવશે અને તે દિશામાં સતત કાર્ય પણ હાથ ધરશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ જે નાણાકીય નીતિમાં બદલાવ કરવામાં આવશે તેનાથી પણ તેના સરવૈયામાં ઘણી ખરી હકારાત્મક અસર પણ ઊભી થશે. સરકારના 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નીતિ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને તે દિશામાં સતત એ કાર્ય પણ હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.