Abtak Media Google News

અખિલ ભારતીય વિઘાર્થી પરિષદ ઇ.સ. ૧૯૪૯ થી વિઘાર્થીઓના હીત અને ઘડતર માટે વિવિધ રચનાત્મક અને આંદોલનત્મક કાર્યક્રમો કરતું રહે છે. એબીવીપી નું માનવું છે કે જે વિઘાર્થીઓ રિ-એસેસમેન્ટ કરાવે છે. અને તેમાં પાસ થાય છે તેવા વિઘાર્થીઓને ન્યાયિક રીતે રિ-એસેસમેન્ટની ફી પરત કરવી જોઇએ.

ગુજરાતની અન્ય ઘણી યુનિવર્સિટીઓમાં આ રીતે ફી પરત કરવામાં આવે છે. તો એબીવીપીની માગણી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આ રીતે વિઘાર્થીઓને ફી પરત કરવામાં આવે. આ માંગણી તાત્કાલીક સ્વીકારવામાં આવે અન્યથા આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ એબીવીપી દ્વારા આપવામાં આવશ તેમ અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.