Abtak Media Google News

જ્હા ડાલ ડાલ પે સોને કી ચિડિયા કરતી હૈ બસેરા…

પર્યાવરણની જાળવણી સાથેના વિકાસનો એકમાત્ર રસ્તો ગ્રીન એનર્જીના વ્યાપમાં વધારો, આ ક્ષેત્રે દેશ અવ્વલ બનશે

ગ્રીન એનર્જી તરફ ભારતનું પ્રયાણ અર્થતંત્રમાં પ્રાણ પુરવાની સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ સિદ્ધિઓ અપાવી રહ્યું છે. તેવામાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારત અવ્વલ બનશે અને આ ક્ષેત્રમાં રિવોલ્યુશન ભારત માટે સોનાની ખાણ સાબિત થશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથ પર પ્રથમ પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું. જેમાં તેમને ભારતના નવીનીકરણ ઉર્જાની દિશામાં વિકાસ તેમજ આ વખતના ગ્રીન ગ્રીથ બજેટ વિશે વાત કરી હતી. ગ્રીન ગ્રોથ પરના બજેટ પછીના પ્રથમ વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં ભારતને અગ્રણી સ્થાન સુધી લઇ જશે. તેમજ હું ઉર્જા ક્ષેત્રના તમામ હિતધારકોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપું છું.

તેમણે આ સંબોધનમાં કહ્યું હતું કે, હરિયાળી વિકાસ તરફ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ઇથેનોલ મિશ્રણ, પીએમ કુસુમ યોજના, સૌર ઉત્પાદનને પ્રોત્સાહન, રૂફટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન, ઇવી બેટરી સ્ટોરેજનો સમાવેશ થાય છે. તેમજ તેમની વાત આગળ વધારતા કહ્યું કે, “હરિયાળી વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં કરાયેલી જોગવાઈઓ એક રીતે આપણી આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર છે. 2014 થી, ભારત નવીનીકરણીય ક્ષમતા વધારામાં સૌથી ઝડપી રહ્યું છે.

પુનઃપ્રાપ્ય ઉર્જાની વાતને લઇ પ્રધાનમંત્રી મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે,  “હરિત વિકાસ અને ઉર્જા સંક્રમણ માટે, ભારતે 3 સ્તંભોની સ્થાપના કરી છે જેમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન વધારવું, અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવો અને ગેસ આધારિત અર્થતંત્ર સાથે આગળ વધવું શામેલ છે.”

ગ્રીન એનર્જી તરફનું પ્રયાણ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર

પીએમ મોદીએ કહ્યું કે, ગ્રીન એનર્જીમાં ભારતની ક્ષમતા સોનાની ખાણ કે તેલના કૂવાથી ઓછી નથી.  રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપતાં તેમણે કહ્યું કે, તમારે આ તક ગુમાવવી જોઈએ નહીં.  અમૃતકાળના પ્રથમ સામાન્ય બજેટમાં મોદીએ ગ્રીન ડેવલપમેન્ટ સંબંધિત જોગવાઈઓને દેશની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના પથ્થર તરીકે ગણાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.